શિષ્ટાચારનો ફિયાસ્કો...ભીખાજીના સમર્થકોએ ભાજપને ફેંક્યો પડકાર, ભાજપ તારા વળતા પાણીના પોસ્ટર્સ બતાવીને આપી ચીમકી

06:26 PM Mar 24, 2024 | gujaratpost

હિંમતનગરઃ ભાજપમાં બેઠકોની ફાળવણીને લઇને વિવાદ વધી ગયો છે, હવે નેતાઓ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યાં છે અને બોલી રહ્યાં છે, શિષ્ટાચારની વાતો કરનારી પાર્ટીમાં ભાજપ હાઇકમાન્ડને પણ પડકાર ફેંકવામાં આવી રહ્યો છે, સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડવી પડી હતી, પરંતુ બીજી તરફ તેમના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે.

મોટી સંખ્યામાં આવેલા સમર્થકોએ પોસ્ટર્સ બતાવ્યાં હતા, જેમાં લખ્યું હતું ભાજપ તારા વળતા પાણી, તેમની માંગ છે કે ભીખાજી જ અમારા ઉમેદવાર રહેશે, ભીખાજી સામે ઠાકોર અને ડામોર સરનેમને લઇને વિવાદ ઉભો થયો છે. ત્યાર બાદ તેમનો વિરોધ પણ થયો હતો.

મેઘરજના ઊંડવા રોડ પર ભીખાજી ઠાકોરના સમર્થકોએ ભાજપને ચીમકી આપી છે અને કહી દીધું છે કે જો ભીખાજી નહીં હોય તો જોવા જેવી થશે. સાથે જ મોડાસા ભાજપ કાર્યાલય ખાતે પણ લોકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

અહીં એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ભાજપમાં પણ જૂથવાદ છે અને પાર્ટીમાં બધુ બરાબર નથી, હવે લોકો ભાજપને ચીમકી આપતા થઇ ગયા છે, વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે પણ જોરદાર રોષ હોવાથી તેમને ચૂંટણી લડવાની ના પાડવી પડી છે. હવે ભાજપમાં શિષ્ટાચારની વાતો પોકળ દેખાઇ રહી છે, જોવું રહ્યું કે ભીખાજીને ભાજપ ચૂંટણી લડાવશે કે પછી તેમના સ્થાને અન્ય કોઇને ટિકિટ આપીને શિષ્ટાચારનો ભંગ કરનારાઓને સબક શીખવશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post