રાજકોટઃ હાર્ટ એટેકથી યુવાનોના મોતની સંખ્યા સતત વધી રહી છે. ગઇ કાલે સુરતમાં રાજસ્થાનના વેપારીને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. જ્યારે આજે રાજકોટમાં 19 વર્ષીય આદર્શ સાવલિયા નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્તા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ફરજ પરના તબીબોએ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નોંધનીય છે કે ગઈકાલે હાર્ટ એટેક આવતા 2 લોકોનાં મોત થયા હતા. જેમાં સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂત (ઉ.વ-42) ને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે મોરબીના રફાળેશ્વર ગામમાં કારખાનાના ચોકીદારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કારખાનાનો દરવાજો ખોલતી વખતે ચોકીદારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓ ત્યાં ઢળી પડ્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો