અંધશ્રદ્ઘાંનો આ ખતરનાક બનાવ તમને હચમચાવી નાખશે, દંપત્તિએ પોતાના માથા હવનકુંડમાં આહુતિ આપી દીધા !

09:08 PM Apr 16, 2023 | gujaratpost

રાજકોટઃ અંધશ્રદ્ધાનો એક ખતરનાક ખેલ રાજકોટના વિંછિયામાં ખેલાયો છે, દંપત્તિની સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે ભગવાન ભોલેનાથ અમે બંને પોતાની મરજીથી આ પગલું ભર્યું છે, અમને કોઇએ કંઇ કહ્યું નથી, મારા પત્ની પણ બિમાર હોવાથી તેમને મજા નથી. બાદમાં તેમને એક ખતરનાક હથિયારની નીચે પોતાના બંનેના માથા રાખીને દોરી ખેંચીને આત્મહત્યા કરી લીધી છે. બંનેના માથા હવનકુંડમાં પડ્યાં હતા.

મૃતકના નામ હેમુભાઈ મકવાણા અને તેમના પત્ની હંસાબેન મકવાણા

ત્રણ વર્ષથી તાંત્રિકવિધી કરતા હોવાનું આવ્યું સામે

રાતના સમયે કરતા હતા તાંત્રિકવિધી

આ સનસનીખેજ ઘટના બાદ પરિવારના અન્ય સભ્યો અને સ્થાનિક પોલીસ અહીં પહોંચી હતી, આ જગ્યાએથી 50 રૂપિયાનો સ્ટેમ્પ પણ મળ્યો છે, પ્રાથમિક તપાસમાં આ અંધશ્રદ્ધાં હોવાનું સામે આવ્યું છે, પોલીસે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે.આ લોકોએ અહીં કમળપુજા કરી હતી અને બાદમાં પોતાની આહુતી આપી દીધી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post