વડાપ્રધાન નિવાસસ્થાને દિવાળીનો માહોલ, પીએમ મોદીએ રામ જ્યોતિ પ્રગટાવી

08:46 PM Jan 22, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન રામનો અભિષેક કર્યાં બાદ દેશ ભરમાં આનંદ ઉલ્લાસનો માહોલ છે, દેશમાં આજે દિવાળી જેવો માહોલ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યામાં પુજા પુરી કર્યાં બાદ દિલ્હી પરત ફર્યાં હતા, અહીં તેમના નિવાસસ્થાનને દિવડાઓથી શણગારમાં આવ્યું છે અને મોદીએ રામ જ્યોતિ પ્રગટાવીને ભગવાનની પૂજા કરી હતી.

ભગવાન રામનો ફોટો લગાવવામાં આવ્યો

પીએમ મોદીએ રામની કરી પૂજા

આજે વડાપ્રધાન આવાસમાં ભગવાન શ્રી રામની નવી તસ્વીર લગાવવામાં આવી છે, દિલ્હીની સાથે અયોધ્યા અને દેશના અનેક  શહેરો-ગામડાઓમાં દિવડાઓ પ્રગટાવીને આજે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ઠેર ઠેર ફટાકડા ફોડીને દિવડાઓ પ્રગટાવવામાં આવ્યાં છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવાર સાથે દિવડા પ્રગટાવીને ભગવાન રામની પૂજા કરી હતી અને અયોધ્યા જેમ ઉજવણી કરી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post