+

મોરબીમાં માતા-પિતા અને પુત્રએ કર્યો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં લખી આ વાત

મોરબીઃ મોરબીમાં વેપારી પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. વેપારીએ તેનાં પત્ની અને દીકરા સાથે આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા,

મોરબીઃ મોરબીમાં વેપારી પરિવારના ત્રણ લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. વેપારીએ તેનાં પત્ની અને દીકરા સાથે આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા, પોલીસને ઘટના સ્થળેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અંગત કારણોસર આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મોરબીમાં આવેલા રોયલ પેલેસમાં ચોથા માળે રહેતા અને હાર્ડવેરનો ધંધા કરતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ- 57) તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ - 55) અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.વ - 19)એ આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતા મોરબી પોલીસ સ્થળે પર પહોંચી હતી અને ત્રણેયના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના સ્થળેથી પોલીસને નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે આ ઘટના માટે કોઈ જવાબદાર નથી અને કોઇએ રડવું નહીં. તેમને પોતે જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ મોરબી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter