હજારો સમર્થકોની ભીડ વચ્ચે ગુજરાત ATS એ મૌલાના અઝહરીનની કરી ધરપકડ, બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યાં

09:54 AM Feb 05, 2024 | gujaratpost

જૂનાગઢઃ ગુજરાત પોલીસે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (સી), 505 (2), 188 અને 114 હેઠળ કેસ નોંધ્યો છે. સલમાન અઝહરીને પહેલા ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યાં હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૌલાનાના ઘણા સમર્થકો ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને તેની તાત્કાલિક મુક્તિની માંગ કરી હતી. જેના કારણે આ વિસ્તારમાં વાહનવ્યવહાર થંભી ગયો હતો અને પોલીસે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મૌલાનાએ લોકોની ઉશ્કેરણી કરી હતી

ગુજરાત એટીએસ પહોંચી મુંબઇ

મૌલાના સલમાન અઝહરીએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયેલા તેમના સમર્થકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી. મૌલાનાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનની બહાર એકઠી થયેલી ભીડને માઈક દ્વારા સંબોધિત કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમને કહ્યું કે 'ન તો હું ગુનેગાર છું, ન તો મને અહીં ગુનો કરવા લાવવામાં આવ્યો છે. તેઓ જરૂરી તપાસ કરી રહ્યાં છે અને હું પણ તેમને સમર્થન આપી રહ્યો છું. રવિવારે મોડી રાત્રે ગુજરાત પોલીસે મૌલાના અઝહરીને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધા હતા અને મુંબઈથી જૂનાગઢ જવા રવાના થયા હતા.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

મૌલાના સલમાન અઝહરી સામેના કેસના સંદર્ભમાં ગુજરાત પોલીસે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 153B (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505 (2) (જનમતને ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધ્યો છે. બે સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે. મુફ્તી અઝહરીએ ગત બુધવારે જૂનાગઢના સેક્શન બી વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન વાંધાજનક ભાષણ આપ્યું હતું.

શનિવારે તેમના ભાષણનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે જૂનાગઢમાં કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને મૌલાનાને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર આયોજકોએ એવું કહીને ઈવેન્ટ માટે પરવાનગી માંગી હતી કે અઝહરીનું સંબોધન ધર્મ અને વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવાનું હશે. પરંતુ તેમણે પોતાના સંબોધનમાં ભડકાઉ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મૌલાના અઝહરીના વકીલે કહ્યું કે ઈસ્લામિક ઉપદેશક તપાસમાં સહયોગ કરવા તૈયાર છે, પરંતુ આ સંબંધમાં પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post