અમદાવાદઃ ભગવાન શ્રી રામ અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થઇ ગયા છે, કરોડો ભક્તોની આસ્થાના આ દિવસને દિવાળીની જેમ જ ઉજવવામાં આવી રહ્યો છે, અયોધ્યાની સરયૂ નદી પર દિવડાઓની રોશની જોવા મળી રહી છે, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરો અને ગામડાઓમાં લોકોએ ઘરોમાં દિવડા પ્રગટાવીને ભગવાન રામના મંદિરને લઇને ઉજવણી કરી છે.
લાખો ઘરોમાં દિવડા પ્રગટાવીને ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, મંદિરોમાં વિશેષ પૂજા થઇ રહી છે, ભગવાનની આરતી સાથે લોકોને પ્રસાદમાં લાડુ આપવામાં આવી રહ્યાં છે.
ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ એક વીડિયો પોસ્ટ કરીને લોકોને અપીલ કરી હતી કે તેઓ ઘરોમાં દિવા પ્રગટાવીને આજના દિવસની ઉજવણી કરે અને ભગવાન રામની પૂજા કરે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો