આ છે ચાંદીપુરા વાઇરસના લક્ષણો, અત્યાર સુધી ગુજરાતમાં 10 બાળકોનાં મોતથી હાહાકાર

08:20 PM Jul 17, 2024 | gujaratpost

ગાંધીનગરમાં 14 મહિનાની બાળકીનું મોત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહેસાણાના એક બાળકનું મોત

શંકાસ્પદ સેમ્પલ પુણા લેબોરેટરીમાં મોકલાયા

અમદાવાદઃ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે અને તેના કારણે અત્યાર સુધીમાં 10 માસૂમ બાળકોનાં મોત થઇ ગયા છે. આ વાઇરસ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ અને મહિસાગરમાં બાળકોમાં દેખાયો છે. હજુ આ વાઇરસથી પીડિત કેટલાક બાળકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાના અહેવાલ છે.

આ છે ચાંદીપુરા વાઇરસના લક્ષણો  

ચાંદીપુરા વાઇરસ મચ્છર અને માખીને કારણે ફેલાય છે અને તે ખાસ કરીને બાળકોને પોતાની ઝપેટમાં લઇ લે છે. ભોગ બનેલા બાળકો 14 વર્ષ સુધીની ઉંમરના છે. સૌ પ્રથમ તો બાળકોમાં તાવ આવવો, ઝાડા-ઉલ્ટી થવી, બેભાન થવું, ખેંચ આવવી અને શરીરમાં અશક્તિ થવી છે.જો તમારા બાળકમાં પણ આવા કોઇ લક્ષણો છે તો તાત્કાલિક તમારે નજીકની હોસ્પિટલમાં જવું જોઇએ અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

જે 10 બાળકોનાં મોત થઇ ગયા છે, તેમાંથી મોટાભાગના બાળકોમાં આવા લક્ષણો જોવા મળ્યાં હતા, ઘણા બાળકોનું સારવાર દરમિયાન મોત થઇ ગયું છે. આ વાઇરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી જરૂરી છે, માખી અને મચ્છરના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સાથે જ જો બાળકના શરીરમાં કોઇ ફેરફાર દેખાય છે તો તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526