Fact Check News: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલા બે લોકો એક બાળક પર હુમલો કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયો શેર કરનારાઓ દાવો કરે છે કે આ વીડિયોમાં વિષ્ણુ નામના દલિતને મારવામાં આવી રહ્યો છે કારણ કે તેણે અયોધ્યામાં રામ મંદિર ઉત્સવ દરમિયાન ફૂલોની વર્ષા કરી હતી.
#NayaBharat में आपका आपका हार्दिक स्वागत है !
— Syed Rafi - నేను తెలుగు 'వాడి'ని. (@syedrafi) December 26, 2023
Vishnu {A #Dalit Boy} was beaten for showering flowers during Ram Mandir Utsav in Ayodhya. pic.twitter.com/EEhoxkomxt
Fact Check માં સત્ય શું છે ?
અમે આ વીડિયોની ઉંડી તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો હરિયાણાના ફરીદાબાદ સ્થિત હુડ્ડા કન્વેન્શન હોલમાં ઉજવાયેલા ગીતા મહોત્સવનો છે. જેમાં બે શિક્ષકો ફરીદાબાદની ગાઉંચી સરકારી શાળામાં અભ્યાસ કરતા નવમા ધોરણના વિદ્યાર્થીને મારતા નજરે પડે છે. વિદ્યાર્થી પર આ હુમલો એક કાર્યક્રમમાં ફૂલોની વર્ષા કરવાને લઈને થયો હતો.
અમે 23 ડિસેમ્બર 2023 ના રોજનો એક અહેવાલ મળ્યો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતુ કે, ગાઉંચીની સરકારી શાળામાં ગીતા જયંતિની ઉજવણી દરમિયાન નવમા ધોરણના એક વિદ્યાર્થીને ફૂલોની વર્ષા કરવા બદલ માર મારવામાં આવ્યો હતો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં દેખાતા શિક્ષકોના નામ રવિ મોહન અને કમલ છે. આ બંનેએ કથિત રીતે છોકરીઓ પર ફૂલ વરસાવવા બદલ નિર્દયતાથી માર માર્યો હતો.
આ અહેવાલમાં શાળાના આચાર્યનું નિવેદન પણ છે, જેમણે શિક્ષકોના આ વર્તનને ખોટું ગણાવ્યું છે. આ કેસ અંગે 25 ડિસેમ્બર, 2023ના રોજ ફરીદાબાદ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRની નકલ મળી હતી. પીડિત વિદ્યાર્થીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે પહેલા તેમના પુત્રને ફરીદાબાદના હુડ્ડા કન્વેન્શન સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. બીજા ઘણા વિદ્યાર્થીઓ પણ ત્યાં હાજર હતા.
જ્યારે ફંક્શનમાં ફૂલોની વર્ષા કરવામાં આવી રહી હતી ત્યારે આ વિદ્યાર્થીએ પણ જમીન પરથી ફૂલ ઉપાડ્યા હતા, ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો. તેનું મેડિકલ 23 ડિસેમ્બર 2023ના રોજ બલ્લભગઢની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. તેમને આરોપી વતી ફરિયાદ ન કરવા કહેવામાં આવ્યું હતું. આરોપીએ તેમને જાનથી મારી નાખવાની અને માર મારતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી.
ફરિયાદ બાદ શિક્ષકો સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની માતાએ પણ તે દાવાને નકારી કાઢ્યો કે તે દલિત સમૂદાયમાંથી આવે છે. તેણે કહ્યું કે તે બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. આ ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. છોકરા-છોકરીઓ પોતપોતાના ગ્રુપમાં ડાન્સ કરી રહ્યાં હતા. જ્યારે એક જૂથ નૃત્ય કરી રહ્યું હતું, ત્યારે કેટલાક છોકરાઓ ફૂલોની વર્ષા કરવા લાગ્યા હતા.
શિક્ષકને માહિતી મળી કે કંઈ હંગામો થઈ રહ્યો છે.ત્યાં સુધીમાં ફૂલ વરસાવનાર છોકરાઓનું ટોળું સ્થળ પરથી નીકળી ગયું હતું. તે જ સમયે પીડિત વિદ્યાર્થીએ જમીન પરથી ફૂલો ઉપાડ્યાં અને પછી બે શિક્ષકોએ તેને મારવાનું શરૂ કર્યું. ફરીદાબાદ પોલીસે જણાવ્યું કે આ શિક્ષકોએ વિદ્યાર્થીને એટલા માટે માર્યો કારણ કે તે ફૂલ ફેંકી રહ્યો હતો તે આકસ્મિક રીતે શિક્ષક સાથે અથડાયો, જેના કારણે તે ગુસ્સે થઈ ગયા હતા. પોલીસનું કહેવું છે કે આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.
X પર અયોધ્યા પોલીસે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો છે.પોલીસે એમ પણ લખ્યું છે કે અયોધ્યા પોલીસે મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો હરિયાણાના ફરીદાબાદનો છે. મતલબ સ્પષ્ટ છે, અયોધ્યાના રામ મંદિરમાં પુષ્પવર્ષા કરવા બદલ દલિત વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાનો દાવો ખોટો છે.
कतिपय ट्विटर हैंडल एवं सोशल मीडिया के माध्यम से यह असत्य/भ्रामक खबर सार्वजनिक रुप से प्रसारित की जा रही है कि अयोध्या में राम मंदिर समारोह के दौरान फूल फेंकने पर दलित लड़के विष्णु को आयोजको ने पीटा।#ayodhyapolice इस असत्य एवं भ्रामक खबर का खण्डन करती है। https://t.co/Zmm92JT8BA pic.twitter.com/JBL2GGwV1p
— AYODHYA POLICE (@ayodhya_police) December 26, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો