ગણેશ વિસર્જન દરમિયાન દહેગામ પાસે મેશ્વો નદીમાં ડૂબતા 8 લોકોનાં મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

11:42 AM Sep 14, 2024 | gujaratpost

દુર્ઘટનાથી ગામમાં માતમનો માહોલ

નદી કિનારે મોટી સંખ્યામાં ભેગા થયા લોકો

પોલીસ કાફલો પણ દુર્ઘટના સ્થળે પહોંચ્યો

Trending :

ગાંધીનગરઃ ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે, દહેગામનાં વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ડૂબી જતા 8 લોકોનાં મોત થયા છે અને 2 લોકોની શોધખોળ થઇ રહી છે.

ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થયા હતા, તે વખતે નદીના પાણીમાં 10 લોકો ડૂબી ગયા હતા. તહેવાર સમયે જ 8 લોકોનાં મોતથી પરિવારોમાં આઘાત છે, જે અન્ય લોકો ગુમ છે, તેમના પરિવારના સભ્યો પણ અહીં પહોંચ્યાં છે.

દુર્ઘટનાના સમાચાર મળતા પોલીસ કાફલો અને સામાજિક આગેવાનો અહીં પહોંચ્યાં છે. હાલમાં 2 લોકોની શોધખોળ થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526