અમદાવાદઃ ભાજપે તેના 160 ઉમેદવારોના નામની જાહેરાત કર્યાં પછી અનેક બેઠકો પર અસંતોષ જોવા મળી રહ્યો છે, વડોદરાના વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા તેઓ હવે અપક્ષમાંથી ઝંપલાવશે, તેમને પોતાની પાર્ટી ભાજપ સામે જ રોષ વ્યક્ત કર્યો છે, અગાઉ તેમને પત્ની માટે પણ ટિકિટ માંગી હતી.તેમને ચીમકી આપતા કહ્યું કે હવે હું અપક્ષમાંથી ઝંપલાવવાનો છું. તો ખેડાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ આપમાં જોડાઇ ગયા છે, તેઓને ભાજપે ટિકિટ ન આપતા તેઓ નારાજ થયા છે.
બીજી તરફ અમદાવાદના નરોડામાં સ્થાનિક લોકોએ બહારના ઉમેદવારનો જોરદાર વિરોધ કર્યો હતો. ભાજપ દ્વારા ડો.પાયલ કુકરાણીનું નામ જાહેર કરાતા તેમનો વિરોધ શરૂ થઇ ગયો છે. કુબેરનગરમાં પણ આ ઉમેદવારનો વિરોધ જોવા મળ્યો છે, સ્થાનિક ભાજપ કાર્યકરો વિરોધ કરવા કમલમ ગાંધીનગર સુધી પહોંચ્યાં હતા. સ્થાનિક કોર્પોરેટર અને અન્ય ભાજપના નેતાઓનું કહેવું છે કે ડો.પાયલ અહીંયા રહેતા નથી, ભલે તેમના માતા-પિતા અહીંયા રહેતા હોય પરંતુ પાયલ અત્યારે બીજા વિસ્તારમાં રહે છે, તે આયાતી ઉમેદવાર છે, અહીં સ્થાનિક સિંધી સમાજના કોઇ નેતાને ટિકિટ મળવી જોઇએ. જો આમ નહીં કરાય તો અનેક લોકો ભાજપને નુકસાન કરાવી શકે છે, અપક્ષમાં ઉમેદવારી કરીને સિંધી સમાજના મતો તોડવાની પણ ચીમકી અપાઇ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો