શિયાળામાં તમારા આહારમાં આમળાનો કરો સમાવેશ, તે અનેક જીવલેણ રોગો માટે રામબાણ ઇલાજ છે

10:21 AM Nov 07, 2023 | gujaratpost

ઠંડીની મોસમ આવતા જ બજારમાં વિવિધ પ્રકારના ફળો ઉપલબ્ધ થઇ જાય છે.તેમાં આમળાનો પણ સમાવેશ થાય છે, જે શરદી અને અનેક રોગોથી રક્ષણ માટે રામબાણ ગણાય છે. આમળા એક એવું ફળ છે જેમાં અનેક ઔષધીય ગુણો હોય છે. જો તમે તેને તમારા આહારમાં સામેલ કરશો તો તમને ઘણા ફાયદા જોવા મળશે. તેમાં વિટામીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં ફાઈબર, ફોલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફોસ્ફરસ, આયર્ન, ઓમેગા-3, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે. તેથી આ પોષક તત્વ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમળા ઔષધીય ગુણોથી ભરપૂર છે

આમળામાં વિટામિન સી અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. આમળા એક આયુર્વેદિક ઔષધી છે, જેને ઘણા રોગો માટે રામબાણ પણ માનવામાં આવે છે. આમળાનું સેવન શરીરના કોષોને નુકસાન થવાથી બચાવે છે.

આમળા રોગપ્રતિકારક શક્તિ વધારે છે

આમળા શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ વધારે છે. જો કોઈના શરીરમાં ઘણા ઘા છે તો આના સેવનથી ઘા ઝડપથી રૂઝાય છે. આ સિવાય જેમને વાળ ખરવાની સમસ્યા હોય અથવા નખ સંબંધિત સમસ્યા હોય તો તેનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

ઘણા રોગો માટે રામબાણ

આમળાનું સેવન માત્ર રોગપ્રતિકારક શક્તિને જ નહીં પરંતુ ત્વચા અને વાળને નુકસાન થવાથી પણ બચાવે છે. કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓ માટે આમળા રામબાણ છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)