તિરુવનંતપુરમઃ કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને થયું છે. જેમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ અકસ્માત બાદ કેરળ સરકારે 2 દિવસનો શોક જાહેર કર્યો છે. બીજી તરફ ભારતીય સેના, NDRF સહિત વિવિધ વિભાગોએ વાયનાડમાં મોટા પાયે બચાવ અભિયાન હાથ ધર્યું છે. સેનાએ લગભગ 1000 લોકોના જીવ બચાવ્યાં છે.
#WATCH | Kerala: Relief and rescue operation underway in Wayanad's Chooralmala after a landslide broke out yesterday early morning claiming the lives of 143 people
— ANI (@ANI) July 31, 2024
(latest visuals) pic.twitter.com/Cin8rzwAzJ
સેનાએ 1000 લોકોના જીવ બચાવ્યાં
સેનાએ વાયનાડ જિલ્લામાં બચાવ અભિયાન દરમિયાન અસ્થાયી પુલની મદદથી લગભગ 1000 લોકોને બચાવવામાં સફળતા મેળવી છે. આ વિસ્તારમાં કાયમી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધોવાઈ ગયા બાદ સેના દ્વારા એક પુલ બનાવવામાં આવ્યો હતો. રાજ્યની ટીમો પણ બચાવ કાર્યમાં સક્રિયપણે સામેલ છે અને નૌકાદળ અને વાયુસેના પણ સમાન રીતે યોગદાન આપી રહી છે.
#WATCH | Kerala: Soldiers of the 122 Infantry Battalion of the Territorial Army preparing for the second day of rescue operations move out from their temporary shelter at local school to calamity-hit areas in Meppadi, Wayanad.
— ANI (@ANI) July 31, 2024
Source: PRO Defence Kochi pic.twitter.com/zf13Ejo1gI
146 લોકોના મોત થયા છે
ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં કુલ 146 લોકોનાં મોત થયા છે. તેમાંથી 143 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઈ ગયું છે. સત્તાવાર રીતે 98 લોકો ગુમ છે પરંતુ આ સંખ્યા વધુ હોઈ શકે છે.
કેટલાક સ્નિફર ડોગ નવી દિલ્હીથી આવશે
માહિતી આપતાં સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અંધકારને કારણે બચાવ કાર્ય રોકવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાંથી 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. કેટલાક મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યાં છે. હજુ પણ આ વિસ્તારમાં 18 થી 25 લોકો ફસાયેલા છે. બચાવ કામગીરી માટે નવી દિલ્હીથી કેટલાક સ્નિફર ડોગ્સ પણ લાવવામાં આવી રહ્યા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/