વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post

10:27 AM May 03, 2024 | gujaratpost

Gujarat Heart attacks: વડોદરાઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન વધુ બે લોકોનાં હાર્ટએટેકથી મોત થયા છે.મૃતકમાં એક ધાબા માલિક અને એક શ્રમજીવીનો સમાવેશ થાય છે. આશ્ચર્ય એ વાતનું છે કે બન્ને લોકો એક જ વિસ્તારમાં રહેતા હતા અને બન્નેના મૃંત્યુ પણ એક જ વિસ્તારમાં થયા છે.

વડોદરાના આજવારોડ ઉપર સયાજીપાર્ક નજીક શ્રીહરી ટાઉનશીપમાં રહેતા 38 વર્ષના અજયસિંહ ઇકબાલસિંહ ન્યુ સમા રોડ ઉપર ધાબા ચાલવતા હતા. દિવાળીપુરા કોર્ટમાં કોઇ કામ હોવાથી તે ત્યા ગયા હતા.દરમિયાન બપોરે 4 વાગ્યે તેમને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને બેભાન થઇ જતાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જ્યારે સારવાર દરમિયાન સાંજે તેમનું મોત થયુ હતું.

આજવારોડ ઉપર સયાજીપાર્ક નજીક લક્ષ્મીનગરમાં રહેતા 48 વર્ષીય જગદીશ હીરાભાઇ ભાયલી અર્થ એલિઝિયમ એપાર્ટમેન્ટમાં અન્ય બે શ્રમજીવી સાથે પાણીની ટાંકી સાફ કરવા ગયા હતા. ટાંકીની સફાઇ બાદ દોઢ વાગ્યે 3 લોકો જમવા માટે ધાબા પરથી નીચે આવ્યાં હતા અને જમવાનું શરૃ કરે તે પહેલા મિત્રો વાતચીત કરી રહ્યાં હતા, દરમિયાન જગદીશ ઢળી પડયાં હતા. તેમને બેભાન અવસ્થામાં ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. આમ શહેરના એક જ વિસ્તારમાં બે લોકોના હાર્ટ એટેકથી થતા ફફડાટ ફેલાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526