અબુજાઃ નાઇજીરીયામાં આ સમયે પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. નાઇજર રાજ્યના બજાર શહેર મોકવામાં પૂરને કારણે અત્યાર સુધીમાં 117 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ગુમ છે. નાઇજર રાજ્યની રાજધાની મિન્નામાં ઓપરેશન ઓફિસના વડા હુસૈની ઇસાએ જણાવ્યું હતું કે શુક્રવારે બચાવ કામગીરી ચાલુ હતી અને ઘણા લોકો હજુ પણ જોખમમાં છે.
શરૂઆતના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાઇજરમાં પૂરને કારણે 88 લોકો માર્યા ગયા છે. જો કે, તાજેતરના અહેવાલો અનુસાર, આ પૂરને કારણે અત્યાર સુધીમાં કુલ 117 લોકોનાં મોત થયા છે.
ભારે વરસાદને કારણે પૂરની સ્થિતી
ઘણા કલાકો સુધી સતત વરસાદને કારણે નાઈજરમાં પૂર આવ્યું હતું. આ પૂરના કારણે લોકોના જીવન પર ખરાબ અસર પડી છે. સ્થાનિક અહેવાલો અનુસાર એક શહેરમાં બંધ તૂટી પડતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. ગયા સપ્ટેમ્બરમાં પણ આવા જ પૂરનો સામનો કરવો પડ્યો હતો. તે સમયગાળા દરમિયાન ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પૂરને કારણે લાખો લોકો બેઘર થયા છે.
નાઇજીરીયામાં પૂરથી લાખો લોકો પ્રભાવિત
નાઇજીરીયામાં વારંવાર મોસમી પૂરનો સામનો કરવો પડે છે. નાઇજર અને બેન્યુ નદી કિનારે વસતા સમુદાયો ખાસ કરીને પ્રભાવિત છે. હાલના પૂરમાં મોટી સંખ્યામાં લોકો ગુમ થયાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. પૂરને કારણે રાજ્યના બે સમુદાયોમાં લગભગ 50 ઘરો ડૂબી ગયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/