+

જીગ્નેશ મેવાણીએ એવું તો શું લખ્યું કે કોંગ્રેસના નેતાઓમાં મચી ગયો ખળભળાટ- Gujarat Post

અમદાવાદઃ અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસ પક્ષથી નારાજ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે નિશાન ટા

અમદાવાદઃ અમરેલીમાં દલિત યુવાનની હત્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કોંગ્રેસ પક્ષથી નારાજ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સામે નિશાન ટાંક્યું છે. મેવાણીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું છે કે, હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો ?. બી ટીમ , ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવા વાળા, લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં ? મારું નહીં તો રાહુલજીનું તો માનો ! તેમ કહીને મેવાણીએ કોંગ્રેસના જ નેતાઓ પર પ્રહાર કર્યાં હતા.

ગત 15 મેના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઇ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ ‘બેટા’ના પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણમી હતી. દલિત સમાજના નિલેશભાઈ રાઠોડે દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને 'બેટા' શબ્દથી સંબોધન કર્યું હતું.આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથાભાઈ ખોડાભાઈ ભરવાડ ઉશ્કેરાઇ ગયા હતા. તેમણે નિલેશભાઈની જાતિ વિશે પૂછપરછ કરી અને જાતિ પ્રત્યે અપમાનજનક ટિપ્પણી કરી હતી.

પરિસ્થિતિ વણસતા ચોથાભાઈએ ફોન કરીને વધુ માણસોને બોલાવ્યાં હતા. 15 જેટલા લોકોએ નિલેશભાઈને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો. નિલેશભાઈને માથાના પાછળના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. જેથી નિલેશભાઈ રાઠોડને અમરેલી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં તેમણે દમ તોડી દીધો હતો. આ મામલે કોંગ્રેસની ચૂપકીએ જીગ્નેશ મેવાણી ગુસ્સે ભરાયા છે.

આ ઘટનાની જાણ જીગ્નેશ મેવાણીને થતા ભાવનગરની સર ટી હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતકના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી.તો કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દલિત સમાજ પરના અત્યાચાર મામલે ચૂપ રહેતા હવે મેવાણીએ તેમનો વિરોધ શરૂ કરી દીધો છે.

facebook twitter