સુરતમાં પારિવારિક ઝઘડામાં પત્નીને ઘરમાં પૂરીને પતિ ફરાર, જાણો પછી શું થયું ? Gujarat Post

07:40 PM Jun 28, 2023 | gujaratpost

પત્ની સાથે પતિને કોઈ વાતને લઈને થઈ હતી માથાકૂટ

મધરાતે ઘરને તાળું મારીને પતિ ફરાર થઈ ગયો

ફાયરબ્રિગેડે આવીને રેસ્ક્યૂં કર્યું

Trending :

સુરતઃ શહેરમાં પારિવારિક ઝઘડાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિ ઘરને તાળું મારીને પત્ની અને પુત્રને ઘરમાં પૂરીને જતો રહ્યો હતો. જેમનું ફાયર ટીમ દ્વારા રેસ્ક્યૂં કરવામાં આવ્યું હતું અને પત્નીને બચાવી લેવામાં આવી હતી.

કોસાડ આવાસમાં આવેલી એક બિલ્ડિંગમાં પ્રધાન પરિવાર રહે છે. પતિને રાત્રે પત્ની સાથે કોઈ વાતને લઈને માથાકૂટ થઈ હતી, જે ઝઘડામાં પરિણમી હતી. જેને લઈને રોષે ભરાયેલો પતિ રાત્રે 12 વાગ્યાની આસપાસ ઘરનો દરવાજો બહારથી લોક કરીને ભાગી ગયો હતો.પત્ની અને તેના પુત્રએ બુમાબુમ કરી હતી પણ મોડી રાત હોવાથી પાડોશીઓ પણ આવ્યાં ન હતા.

પછી કોઈએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતાં બંને ટીમો દોડી આવી હતી. ફાયર બ્રિગેડે દરવાજો તોડીને માતા-પુત્રને હેમખેમ બહાર કાઢ્યાં હતા.પોલીસે હકીકત જાણ્યા બાદ ફરાર પતિની શોધખોળ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post