સુરતઃ એક સંતાનની માતાને પરિણીત પુરુષ સાથે પ્રેમ થઈ ગયો હતો.બંનેના પરિવારને તેમના સંબંધની જાણ થઈ જતા સમજાવ્યાં હતા. તેમ છતાં તેઓ માન્યા ન હતા અને 4 દિવસ પહેલા ઘર છોડીને ભાગી ગયા હતા. જે બાદ તાપીમાં ઝંપલાવીને બંનેએ મોત વ્હાલુ કર્યું હતું. બંનેેએ અગલ થઇ જવાના ડરના લીધે આ પગલુ ભર્યુ હતું.
કતારગામમાં જપ્તી ફળિયામાં નજીક રહેતા 36 વર્ષીય પ્રતિક ચૌહાણ અને કતારગામમાં રહેતી 30 વર્ષીય પરણીતાની લાશ મળી આવી છે, તાપી નદી પરના ઉત્રાણ રેલવે બ્રિજ નજીક એકબીજાના હાથ બાંધેલી હાલતમાં તેમની લાશ બહાર કાઢવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર જવાનોએ ત્યાં પહોંચીને નદીમાંથી બંનેના મૃતદેહો બહાર કાઢ્યાં હતા. પોલીસ કાર્યવાહી કરી બંનેના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં છે.
પોલીસે કહ્યુ કે એક સંતાન ધરાવતા પ્રતિકને એક વર્ષ પહેલા તેના ઘર નજીકમાં રહેતી એક સંતાનની માતા સાથે આંખો મળી ગઇ હતી. જો કે બંને જણા બે વખત ભાગી ગયા હતા. બાદમાં પરત ઘરે આવ્યાં હતા. આવા સંજોગોમાં બંનેના પરિવારના સભ્યો તેમને પ્રેમ સંબંધ નહીં રાખવા અંગે બંનેને સજાવતા હતા. પરંતુ ચાર દિવસ પહેલા તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને બંનેએ નદીમાં કુદીને આત્મહત્યા કરી લીધી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો