રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારી સનસનીખેજ ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પતિ સાથે બોલાચાલી બાદ બે સંતાનોનો મોતને ઘાટ ઉતારી દીધા અને પોતે પણ ગળાફાંસો ખાઇ લેતા સનસની મચી ગઇ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
રાજકોટમાં નિર્દયી માતાએ બે બાળકોને મોતને ઘાટ ઉતાર્યાં બાદ પોતે ગળાફાંસો ખાઇ લીધો
રાજકોટના એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં રહેતા મનીષાબેન પરમારે પોતાના બે બાળકોની હત્યા કરી હતી.આ બંને બાળકોની હત્યા બાદ ખુદ મનીષાબેને પણ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવી દીધું હતું. મહિલાને કોઈ વાતે પતિ સાથે ઝઘડો થયો હતો. જે બાદ તેણે આવેશમાં આવીને 5 વર્ષના પુત્ર અને 6 માસની પુત્રીને ગળા ટૂંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા પછી પોતે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સ્થળ પર પહોંચીને આસપાસના રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો