રાજકોટઃ એસઆરપી જવાને પોતાની સર્વિસ બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પ્રવીણ ચૌહાણ મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી હતા અને તેઓ PGVCL માં બંદોબસ્ત માટે રાજકોટમાં હતા, તે દરમિયાન તેમને વહેલી સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમના આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં PGVCLના બંદોબસ્તમાં હતી ડ્યૂટી
વહેલી સવારે કરી લીધી આત્મહત્યા
પોલીસે પંચમહાલમાં રહેતા તેમના પરિવારજનોને આ બનાવની જાણ કરી છે, તેમની પાસેથી કોઇ સ્યૂસાઇડ નોટ નથી મળી, તેમના મોબાઇલને આધારે અને આસપાસના મિત્રોની પૂછપરછ કરીને પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો