રાજકોટઃ રાજ્યમાં ફરી એક વખત મોટી દુર્ઘટના બની છે, થોડા સમય પહેલા મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતા અનેક લોકોનાં જીવ ગયા હતા અને હવે રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં આગ લાગતા 30 લોકોનાં મોત થઇ ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે.
કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી અને તેમાં 30 લોકોનાં મોત થઇ ગયા છે, મોટાભાગના બાળકોનાં મોત થયા છે. આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે અને બચાવ કામગીરી ઝડપી કરવા આદેશ આપી દીધા છે.
પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, યુવરાજસિંહ નામના શખ્સો ચલાવતા હતા ગેમ ઝોન
ગેમ ઝોન કોઇ પણ પ્રકારની એનઓસી વગર ચાલતો હોવાનું સામે આવ્યું છે, આ એક બેદરકારી છે, ઘણા બાળકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે, વાલીઓ બાળકોની શોધખોળ કરી રહ્યાં છે, હોસ્પિટલમાં તમે રડી જાવ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 25, 2024

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
રાજકોટમાં ગેમ ઝોનમાં આગ
— mahesh r patel (@maheshrpat59606) May 25, 2024
22 ના મોત.. મોટાભાગના બાળકો
મૃત્યુ આંક વધવાની સંભાવના pic.twitter.com/Unc5Ld2uEG