(demo pic)
Rajkot Crime News: રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દારૂની મહેફિલમાં મિત્રો વચ્ચે થયેલી ગાળાગાળી હત્યામાં પરિણમી હતી. પોલીસે ઘટનાનો ભેદ ઉકેલીને મિત્રની ધરપકડ કરી હતી.
ગત શનિવારે સવારે વિનોજ ભંગારની ફેરી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો, બીજા દિવસે તેની રૈયાધાર નજીકના ડ્રીમસીટી પાસે આવેલા ખુલ્લા પ્લોટમાંથી પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી હતી. ગાંધીગ્રામ-2 પોલીસે તેની માતા હિરાબેનની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
તપાસમાં ક્રાઈમ બ્રાંચે ઝંપલાવ્યું છે. એસીપી ભરત બસીયાની આગેવાની હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમોએ જુદા-જુદા સીસીટીવી કેમેરા ચકાસ્યાં હતા. જેમાં એક શકમંદ કેદ થઈ ગયો હતો. જેની ક્રાઈમ બ્રાંચે ઓળખ મેળવી તેને રાધનપુરથી ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાંચને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અજય મૃતકનો મિત્ર હતો. બંને ગત શનિવારે બપોરે હત્યા થઈ હતી ત્યાં દારૂની મહેફિલ માણવા બેઠા હતા, ત્યારે ગાળાગાળી થતાં ઝઘડો થયો હતો. જેને કારણે ઉશ્કેરાઈ જઈ આરોપી અજયે મિત્ર વિનોજને નજીકમાં પડેલા પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/