સુરતઃ હાલ શાકભાજીના ભાવ આસમાને છે. તેમાં પણ ટામેટાંના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો આસપાસ છે. આ દરમિયાન સુરતમાં સડેલા ટામેટા અને બટાટાનો વેપલો ખૂબ જામ્યો છે. સુરતમાં પાણીપુરી વાળા આવા સડેલા બટાટા લઈ જાય છે. આ અખાદ્ય બટાટામાંથી મસાલો બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે.
તમે પણ સાવધાન થઇ જાજો
લોકોના આરોગ્યા સાથે થઇ રહ્યાં છે ચેડાં
માર્કેટમાં વેંચાઇ રહ્યાં છે અખાદ્ય શાકભાજી
સુરત એપીએમસીમાં કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કેરેટમાં ભરવામાં આવે છે. ટામેટાના ભાવ આસમાને હોવાથી કેટલાક લોકો સડેલા ટામેટા પણ વેચવાની ફિરાકમાં છે. એક વ્યક્તિ ટ્રેકટરમાં ફેંકાયેલા કચરામાંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે. આ જ ટામેટા માર્કેટની બહાર સસ્તા ભાવે વેચાઈ રહ્યાં છે. ત્યારે તમે પણ શાકભાજીની ખરીદી કરતા પહેલા સાવધાન થઇ જાજો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો