ત્રીજી વખત દેશમાં મોદી સરકાર બનશે
મોદી 9 જૂને ફરીથી લઇ શકે છે વડાપ્રધાન પદના શપથ
નવી દિલ્હીઃ આજે એનડીએની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટવામાં આવ્યાં બાદ એનડીએને નેતાઓ સાથે મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સમક્ષ પહોંચ્યાં હતા અને અહીં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, મોદી ત્રીજી વખત 9 જૂને શપથ લઇ શકે છે.
રાજનાથ સિંહ, અમિત શાહ, ચંદ્રબાબૂ નાયડુ, નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે, પ્રફુલ્લ પટેલ, અનુપ્રિયા પટેલ, એચડી કુમારસ્વામી સહિતના અનેક નેતાઓ રાષ્ટ્રપતિ ભવન મોદી સાથે પહોંચ્યાં હતા.
મોદી ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષીના નિવાસસ્થાને તેમના આર્શીવાદ લેવા પહોંચ્યાં હતા, આ બંને નેતાઓ સાથે તેમને નવી સરકારને લઇને વાતચીત કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526