સુરતઃ શહેરમાં 23 વર્ષીય અંજલી વરમોરાએ પંખા પર દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ લીધો છે. તેને માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના નવસારી બજારમાં કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલી અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. તેણે મોડી રાત્રે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતા પરિવારમાં શોકનો માહોલ છે.
અંજલી વરમોરાએ તેના ઈન્ટાગ્રામના એકાઉન્ટ પર કેટલીક ઈમોશનલ રીલ્સ અને સ્ટોરી પણ મુકી છે. તેણે સ્ટોરીમાં લખ્યું છે કે, આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું તારા માટે કંઈ જ નથી. બાપ વગરની જિંદગી શું હોય ?? તેમજ બધા જ છોડીને જતા રહ્યાં હોત તો પણ વાંધો ન હતો, વહાલા હતા ઇ વયા ગયા અને ઇ ખટકે, આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઈ જ નથી તારા માટે, આવી બે રીલ બનાવીને તેને આપઘાત કર્યો છે.
હાલ તો અંજલીના આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. અંજલી થોડા મહિનાઓથી રેવન્યું મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ રહી હતી.તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી. તેની બે વર્ષ પહેલા સગાઇ થઇ હતી. પ્રાથમિક તપાસમાં અંજલીએ તણાવમાં આવીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસની પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/