આંધ્રપ્રદેશઃ કાકીનાડા જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 18 લોકોનાં મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આંધ્રપ્રદેશના ગૃહમંત્રી અનિતાએ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સગિલી શાન મોહનના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
આંધ્રપ્રદેશના ગૃહમંત્રી અનિતાએ જણાવ્યું હતું કે શનિવારે કાકીનાડા જિલ્લામાં ફટાકડા બનાવતી એકમમાં થયેલા વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક વધી શકે છે. ઘણા લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. નાયડુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે કાકીનાડા જિલ્લાના વેટલાપાલેમ ગામમાં ફટાકડા ઉત્પાદન એકમમાં થયેલા વિસ્ફોટમાં થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે, તેમણે અકસ્માત અંગે અધિકારીઓ સાથે વાત કરી અને તેમને પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. અમે બચાવ પ્રયાસો પર નજર રાખી રહ્યા છીએ અને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરીશું, એક સત્તાવાર પ્રેસ રિલીઝ અનુસાર, વિસ્ફોટ સમયે ફટાકડા ઉત્પાદન એકમમાં લગભગ 20 લોકો કામ કરી રહ્યા હતા. નાયડુએ વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓને અકસ્માત સ્થળની મુલાકાત લેવા નિર્દેશ આપ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/