છિંદવાડામાં સામૂહિક હત્યાથી હાહાકાર, પરિવારના મોભીએ 8 લોકોને રહેંસી નાખ્યાં, પોતે કરી લીધી આત્મહત્યા

10:43 AM May 29, 2024 | gujaratpost

- એક વ્યક્તિએ 8 લોકોની હત્યા કરીને પછી ફાંસી લગાવીને પોતે આત્મહત્યા કરી

- આદિવાસી પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા

- આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે

Trending :

મધ્યપ્રદેશઃ છિંદવાડામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છિંદવાડા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોડલ કચર ગામમાં એક આદિવાસી પરિવારના 8 લોકોની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપીએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

એક બાળક જીવ બચાવવા ભાગ્યો

મૃતકોમાં આરોપીની પત્ની અને પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. આરોપીએ ભાઈના એક બાળક પર પણ હુમલો કર્યો હતો, પરંતુ તે પોતાનો જીવ બચાવવા ભાગી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ તમામ લોકો નજીકના મકાનોમાં રહેતા હતા.

આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતોઃ પોલીસ

પોલીસના જણાવ્યાં અનુસાર આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે. તે ડ્રગ એડિક્ટ હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના રાત્રે 3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આરોપીનો તેની પત્ની સાથે વિવાદ ચાલતો હતો.આ ઘટના વિવાદ દરમિયાન બની હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526