Latest Bharuch News: રાજ્યમાં ગણેશોત્સવની વચ્ચે શાંતિ ડહોળવાનો વધુ એક પ્રયાસ થયો છે. સુરત બાદ મંગળવારે મોડી રાત્રે ભરૂચમાં બે સમૂદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણ થઈ હતી. ધાર્મિક ઝંડા લગાવવા મુદ્દે બે કોમમાં ઘર્ષણ થયું હતું.
ભરૂચના બી. ડિવિઝન પોલીસ મથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે સમૂદાયના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા જતા મામલો બીચક્યો હતો. દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણકારી મળતાં એસ.પી. મયુર ચાવડા સહિત સમગ્ર પોલીસ કાફલો દોડી આવતા સ્થિતિ થાળે પડી હતી. ત્યારબાદ કોઈ અણગમતી ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. હાલમાં સ્થિત પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, જેથી કોઇ પણ વ્યક્તિએ ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526