+

ઇઝરાયેલે ઈરાનને મોટો ઝટકો આપ્યો, કમાન્ડર સુલેમાની અને અલી લારીજાની હવાઈ હુમલામાં મોત

તહેરાનઃ ઈરાને તેની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં, કાઉન્સિલે તેમને શહીદ જાહેર કર્યા અને કહ્યું કે તેઓ ઇઝરાયેલી

તહેરાનઃ ઈરાને તેની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં, કાઉન્સિલે તેમને શહીદ જાહેર કર્યા અને કહ્યું કે તેઓ ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા છે.

લારીજાનીના પુત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો

કાઉન્સિલેના નિવેદનમાં કહ્યું,  શહીદ ડૉ.અલી લારીજાનીનો પવિત્ર આત્મા ભગવાનને ભેટી પડ્યો. લારીજાનીના પુત્ર અને તેમના અંગરક્ષકોએ પણ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઈરાને તેમને એક યોદ્ધા તરીકે વર્ણવ્યાં જેમણે ઇસ્લામિક ક્રાંતિ અને દેશની પ્રગતિ માટે આખું જીવન લડ્યા. જીવનભર સંઘર્ષ પછી, તેમણે તેમની લાંબા સમયથી ચાલતી આકાંક્ષા પૂર્ણ કરી, ભગવાનના આહ્વાનનો જવાબ આપ્યો અને સેવાની ખાઈમાં શહાદતનો મધુર આશીર્વાદ મેળવ્યો.

અગાઉ, ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ તેહરાન નજીક એક લક્ષિત હવાઈ હુમલામાં લારીજાનીને મારી નાખ્યો હતો. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું કે લારીજાની સાથે બાસીજ મિલિશિયા કમાન્ડર પણ માર્યો ગયો હતો. આ હુમલો તાજેતરના ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે થયો છે, જેમાં અમેરિકા પણ સામેલ છે, અને આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે.

અલી લારીજાની કોણ હતા ?

અલી લારીજાની ઈરાની રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ હતા. તેઓ સંસદના ભૂતપૂર્વ સ્પીકર અને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના નજીકના સલાહકાર હતા. ખામેનીના મોત પછી, તેઓ ઈરાનના વાસ્તવિક નેતા તરીકે ઉભરી આવ્યા અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ તરીકે દેશની સુરક્ષા નીતિઓ અને વિદેશી બાબતોમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમના મૃત્યુને ઈરાની શાસન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

facebook twitter