નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ શનિવારે આવેલા તમામ એક્ઝિટ પોલમાં એવો અંદાજ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને ભારે બહુમતી મળશે.
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને નવી દિલ્હી લોકસભા સીટ પરથી AAPના ઉમેદવાર સોમનાથ ભારતીએ આ તમામ એક્ઝિટ પોલને ખોટા ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો તેઓ માથું મુંડન કરાવી દેશે. તેમની આ વાત પર રોષે ભરાયેલા ભાજપના નેતાઓએ એમેઝોન પરથી તેમના માટે કાતર પણ મંગાવી દીધી છે.
ઇન્ડિયા ગઠબંધન દિલ્હીની તમામ બેઠકો જીતશે
ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. જો મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો હું માથું મુંડાવીશ. મારા શબ્દોને ચિહ્નિત કરો. 4 જૂને તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન નહીં બને.
I will shave off my head if Mr Modi becomes PM for the third time.
— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) June 1, 2024
Mark my word!
All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.
In Delhi, all seven seats will go to India ALLIANCE.
Fear of Mr Modi does not allow…
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન દિલ્હીની તમામ સાત બેઠકો જીતશે. મોદીના ડરને કારણે એક્ઝિટ પોલ તેમને હારતા નથી બતાવી રહ્યાં. આપણે બધાએ 4 જૂને વાસ્તવિક પરિણામો આવવાની રાહ જોવી પડશે. લોકોએ ભાજપ વિરુદ્ધ જ મતદાન કર્યું છે.
તેજિન્દર બગ્ગાએ કાતર મોકલી
સોમનાથ ભારતીના આ દાવા પર બીજેપી નેતા તેજિંદર બગ્ગાએ ટોણો માર્યો છે અને એમેઝોન પરથી કાતર મોકલવા અંગે પોસ્ટ કરી છે. તેમને લખ્યું, મારા પ્રિય મિત્ર સોમનાથ ભારતીએ કહ્યું છે કે જો મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો તેઓ માથું મુંડાવશે. હું આ મહાન કાર્યમાં યોગદાન આપવા માંગુ છું. કૃપા કરીને આ કાર્ય પૂર્ણ કરો અને વીડિયો અપલોડ કરો.
સીએમ કેજરીવાલે દાવો કર્યો છે કે ભાજપને 220 સીટો મળશે, એનડીએને કુલ 235 સીટો મળશે
આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ વખતે 'ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન' (ઇન્ડિયા) કેન્દ્રમાં મજબૂત અને સ્થિર સરકાર બનાવશે. ભાજપને માત્ર 220 બેઠકો મળશે જ્યારે NDAને 235 બેઠકો મળશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા ગઠબંધન નેતાઓની બેઠક બાદ કેજરીવાલે દાવો કર્યો હતો કે લોકો તરફથી મળેલા પ્રતિસાદ અનુસાર વિપક્ષી ગઠબંધન 295થી વધુ બેઠકો પર વિજયી બનશે. ભારત એક મજબૂત અને સ્થિર સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
