મહેસાણાઃ શંખેશ્વરના પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કડી નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યુ છે. ધર્મેશ પંચાલ, ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશ પંચાલનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શંખેશ્વરના ધર્મેશ પંચાલ (ઉ.વ-38), તેમના પત્ની ઉર્મિલાબેન (ઉ.વ-36) અને પુત્ર પ્રકાશ (ઉ.વ-10) એ વ્યાજખોરોના ત્રાસથી પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂકાવ્યું છે. કેનાલ પાસે ઉભેલી કારમાંથી સ્યૂસાઇડ નોટ અને મોબાઈલ મળી આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.
સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે હું થાકી ગયો છું મારી પાસે કોઇ રસ્તો નથી એટલે હું મારી જિંદગી ખતમ કરું છું. ત્રણેયના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ઘર્મેશભાઇ છેલ્લા 10 વર્ષથી ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા.
મૃતકના પરિવારના જણાવ્યાં અનુસાર આ ત્રણેય 10 વર્ષથી શંખેશ્વરમાં રહેતા હતા. તેમને કારખાનામાં ખોટ જતા વ્યાજે પૈસા લીધા હતા, જે વ્યાજખોરો ધાક ધમકી આપતા હતા, જેના કારણે તેમને આ પગલું ભર્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/