(demo pic)
ધોરાજીઃ પ્રેમલગ્ન બાદ પરિણીતાને પતિ અને સાસરિયાનો અસલી રંગ જોવા મળ્યો હતો. ધોરાજીના છાંડવાવદર ગામે રહેતી યુવતીએ શાપરના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. શાપર ખાતે પતિ સાથે સંયુકત કુટુંબમાં રહેવા ગયા બાદ લગ્નજીવન દરમિયાન પતિ શંકા-કુશંકા કરી મારઝૂડ કરતો હતો. દિયર અને સાસુ પણ ત્રાસ આપતા હતા. ઉપરાંત જમવાનું પૂરતું ન આપી કામ કરાવીને શારીરિક- માનસિક ત્રાસ આપીને પરિણીતા ગર્ભવતી બનતા પિયર મૂકી ગયા હતા. તેથી પતિ સહિતના સાસરિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
છાંડવાવદર ગામની પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, હાલ હું મારા માવતર છાંડવાવદર ગામે રહું છું. નવ વર્ષ પહેલા દિનેશ સાથે લવમેરેજ કર્યાં હતાં. લગ્ન પછી શાપર ખાતે પતિ સાથે સંયુકત કુટુંબમાં રહેવા ગઈ હતી. પછી મારા માવતર પક્ષ સાથે સમાધાન થતા મને કરીયાવર, રોકડ, ભેટ સોગાત, દરદાગીના સહિતની ચીજ વસ્તુ આપા હતી. જે હાલ મારા સાસરીયા પાસે છે. લગ્ન જીવન દરમિયાન પતિ શંકા-કુશંકા કરી મારકુટ કરતો હતો. તું મને ગમતી નથી મેં તો ખાલી મોજ મસ્તી માણવા અને મારા ઘરમાં વગર પૈસાની કામવાળી મળી રહે એટલે જ તને પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા હતા તેમ કહી પણ ત્રાસ આપતા હતા
દિયર મારી સાથે અયોગ્ય વર્તન કરતા, દિયર અને સાસુ મારા પતિને ચડામણી કરતા જેથી પતિ મારી સાથે ઝઘડો કરતો હતો. પોલીસ કે કોર્ટ અમારું કઈ નહીં બગાડી શકે તેમ કહીને હેરાન કરતાં, ઉપરાંત પુરતુ ખાવાનું ન આપીને કામ કરાવતા હતા. હું ગર્ભવતી થઈ ત્યારે અમે સારવાર કરવા નવરા નથી તેમ કહી માવતરે મુકી ગયા હતાં. લગ્નજીવન દરમિયાન મારે 6 વર્ષની પુત્રી અને 7 માસનો પુત્ર છે. આરોપી પતિ દિનેશભાઈ તથા સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો