+

પાકિસ્તાનમાં ISI ના સંપર્કમાં રહીને ભારત સાથે ગદ્દારીનો આરોપ, હરિયાણાની મહિલા યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની દેશ વિરોધી પ્રવૃત્તિ બદલ ધરપકડ

કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં જ્યોતિ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં વાંધાજનક પો

કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં

જ્યોતિ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિઓ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથેના સંબંધના આરોપમાં ધરપકડ કરવામા આવી છે. તે ટ્રાવેલ વિથ જો નામની યૂટ્યુબ ચેનલ ચલાવે છે, પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ત્યાંની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટ સાથે સંપર્કમાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વર્ષ 2023માં જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. યાત્રા દરમિયાન તેની મુલાકાત પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી અહેસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી અને તેમના સંબંધો ગાઢ બન્યાં હતા. દાનિશના માધ્યમથી જ્યોતિની ઓળખ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય  એજન્ટ્સ સાથે કરાવી હોવાનો આરોપ છે. તેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શહબાઝ સામેલ હતા.

જ્યોતિ આ એજન્ટ્સ સાથે વૉટ્સએપ, ટેલીગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મથી સંપર્કમાં હતી. તે પાકિસ્તાનની તરફેણમાં સોશિયલ મીડિયા પર પોઝિટિવ છબી બનાવતી હતી, અને સંવેદનશીલ જાણકારી પણ શેર કરતી હતી. ગુપ્તચર એજન્સીની સૂચના બાદ ધરપકડ કરવામાં આવેલા છ લોકો પૈકીની તે એક છે. જ્યોતિની દાનિશ અને તેના સહયોગી અલી અહસાનના માધ્યમથી પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. તાજેતરમાં તે ઈન્ડોનેશિયાના બાલી પણ ગઈ હતી. જ્યોતિએ ભારતની સંવેદનશીલ જાણકારી શેર કરી હતી અને દિલ્હીમાં રહેતી હતી તે સમયે પીએચસી હેન્ડલર દાનિશના સંપર્કમાં હતી.

દાનિશ જાસૂસીમાં સામેલ હોવાના કારણે 13 મે, 2025ના રોજ ભારત સરકારે તેને દેશ છોડવાનો આદેશ કર્યો હતો. જ્યોતિને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સકારાત્મક છબી રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પાકિસ્તાન તેનો ઉપયોગ ભારત સામે અપ્રચાર અને જાસૂસી ગતિવિધિમાં કરતું હતું. આ મામલો માત્ર જ્યોતિ પૂરતો જ મર્યાદીત ન હતો. પરંતુ એક મોટા નેટવર્કનો પણ પર્દાફાશ થયો હતો. જેમાં પંજાબ અને હરિયાણાના અનેક લોકો સામેલ છે. આ તમામ આરોપીઓ પાકિસ્તાની એજન્ટ્સ સાથે સંપર્કમાં હતા અને તેમને નાણાં પણ ચૂકવવામાં આવ્યાંમાં હોવાના આરોપ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter