ગોધરા-દાહોદ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો, ખાનગી બસને અન્ય બસે ટક્કર મારતા 4 લોકોનાં મોત

10:20 AM Nov 21, 2023 | gujaratpost
  • ગોધરા-દાહોદ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો
  • એક બસે અન્ય બસને ટક્કર મારતા સર્જાયો અકસ્માત
  • આ અકસ્માતમાં 4 લોકોનાં કમકમાટીભર્યા મોત

પંચમહાલઃ ગોધરા-દાહોદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા રોડ આખો મરણચીસોથી ગુંજી ઉઠ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના કમકમાટી ભર્યાં મોત થયા છે. અમદાવાદથી ઇન્દોર જઇ રહેલી બસે અન્ય બસને પાછળથી ટક્કર મારી હતી. બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા હાઇવે પર પાર્ક કરીને કામગીરી કરાઈ રહી હતી. તે સમયે જ અન્ય ખાનગી બસના ચાલકે બસને ટક્કર મારી હતી.

આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે અકસ્માતને લઈને તપાસ હાથ ધરી છે. બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય બસને ટક્કર મારી હતી. બસ હાઈવે પરથી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.ત્યાર બાદ બસે પલટી મારી હતી.

અકસ્માતમાં ચાર મુસાફરોનાં મોત થયા છે, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બે બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post