ભાવનગરમાં કપડાં ધોવા ગયેલી પાંચ બાળકીઓ પાણીમાં ડૂબી, 4 ના મોત થઇ ગયા

09:20 PM May 21, 2024 | gujaratpost

ભાવનગરઃ બોર તળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં સનસનટી મચી ગઇ છે. તળાવમાં કપડાં ધોવા ગયેલી એક બાળકી ન્હાવા પડી હતી તેને બચાવવા માટે અન્ય બાળકીઓ તળાવમાં છલાંગ લગાવી હતી. આ દુર્ઘટનામાં પાંચમાંથી ચાર બાળકીઓના મોત નીપજ્યાં છે, જેથી આ પરિવારોમાં માતમ છવાયો છે. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતા તળાવમાં ડૂબી રહેલી બાળકીઓને બચાવવાની કામગીરી હાથધરી હતી, જેમાંથી એક બાળકીને બચાવી શક્યાં હતા.

ભાવનગર શહેરના મફતનગર વિસ્તારની રહેવાસી પાંચ બાળકીઓ બોર તળાવમાં કપડા ધોવા ગઈ હતી. તળાવમાં એક બાળકી ન્હાવા પડતા ડૂબી રહી હતી, તેને બચાવવા માટે અન્ય બાળકીઓએ તળાવમાં ઝંપલાવ્યું હતું. જેમાં એક જ પરિવારની ત્રણ બાળકીઓ ડૂબી ગઇ હતી, એક જ પરિવારની ત્રણમાંથી 2 દીકરીનાં મોત થતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું.

મૃતકોમાં કોમલ મુન્નાભાઈ ચારોડીયા, રાશિ મનીષભાઈ ચારોડીયા, ઢીંગી વિજયભાઈ પરમાર અને અર્ચના હરેશભાઈ ડાભીનો સમાવેશ થાય છે. જયારે કિંજલ ચારોડિયા નામની બાળકીનો બચાવ થયો છે. ચારેય બાળકીઓના મોતથી ગામમાં માતમ છવાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526