નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મધ્યમ વર્ગને આકર્ષિત રહ્યું હતું. બજેટમાં સૌથી મોટી જાહેરાત રૂપિયા 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે તે હતી. બજેટ પર કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, આ 'ગોળીના ઘા પર બેન્ડ-એઇડ' લગાવવા જેવું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે મોટા ફેરફારોની જરૂર હતી. પણ આ સરકાર વિચારોની બાબતમાં નાદાર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બજેટ રજૂ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને અભિનંદન પાઠવ્યા હતા. અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, બજેટ-2025 એ દરેક ક્ષેત્રમાં વિકસિત અને શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાના મોદી સરકારના વિઝનની રૂપરેખા છે.
बजट-2025 विकसित और हर क्षेत्र में श्रेष्ठ भारत के निर्माण की दिशा में मोदी सरकार की दूरदर्शिता का ब्लूप्रिंट है।
— Amit Shah (@AmitShah) February 1, 2025
किसान, गरीब, मध्यम वर्ग, महिला और बच्चों की शिक्षा, पोषण व स्वास्थ्य से लेकर Start Up, Innovation और Investment तक, हर क्षेत्र को समाहित करता यह बजट मोदी जी के…
કૉંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એકસ પર પોસ્ટ કરતા કહ્યું કે, 'નાણામંત્રી નિર્મલા સીતારમણે વિકાસના ચાર એન્જિન - કૃષિ, MSME, રોકાણ અને નિકાસ વિશે વાત કરી હતી, પરંતુ બજેટ સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયું છે.
માયાવતીએ બજટને લઈ મોદી સરકારની આલોચના કરી હતી. તેણે કહ્યું દેશમાં મોંઘવારી, ગરીબી, બેકારી છે. સડક, પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓના અભાવના કારણે આશરે 140 કરોડ લોકો ત્રસ્ત છે. વર્તમાન ભાજપ સરકારનું બજેટ કોંગ્રેસની જેમ રાજકીય સ્વાર્થવાળું વધારે અને દેશહિતનું ઓછું લાગે છે.
A band-aid for bullet wounds!
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2025
Amid global uncertainty, solving our economic crisis demanded a paradigm shift.
But this government is bankrupt of ideas.