રાજકોટઃ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાત પ્રવાસે છે. આજે તેમનો રાજકોટમાં દિવ્ય દરબાર થયો છે. આ પહેલા રાજકોટ બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી બ્રહ્મ તીર્થ સ્વામીએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિશે વાત કરી. તેમણે કહ્યું આપણી હિન્દુ સંસ્કૃતિમાં ચમત્કારો થાય છે, તેમનામાં કોઈ એવી સીધી હશે કે જેનાથી ચમત્કારો થાય છે, આપણા ઋષિમુનિઓ પણ ચમત્કારો કરતા હતા. દિવ્ય દરબાર પહેલા બીએસપીએસના સંતોએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ચમત્કારોને સમર્થન આપ્યું હતુ.
આજે સાંજે રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબાર યોજાયો છે. દિવ્ય દરબારમાં આવતા ભક્તો માટે 12 સ્થળે પાકિંગ બનાવવામાં આવ્યાં છે. તે સિવાય દિવ્ય દરબામાં 10 એન્ટ્રી ગેટ ઉભા કરવામાં આવ્યાં છે. ત્રણ હજાર સ્વયંસેવકની ટીમો પણ તૈનાત છે. 12 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા અને 12 દરવાજામાંથી ભક્તોને એન્ટ્રી આપવામાં આવી હતી. સીનિયર સીટીઝન માટે 25000 ખુરશીઓની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, 1250થી વધુ કાર્યકરોની ફોજ આ માટે સતત કામે લાગી છે. એટલુ જ નહીં અહીં દિવ્ય દરબારમાં વિનામૂલ્યે પાણી, ચા, નાસ્તો, છાશ શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
બાબાએ ગઈકાલે સાંજે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યાં બાદ માંગરોળમાં જાણીતા કથાકાર જિગ્નેશ દાદા રાધે રાધેના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
जय सोमनाथ….सोमनाथ दिव्यदर्शन पूज्य सरकार द्वारा… pic.twitter.com/vFefPlfqMB
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) May 31, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો