વડોદરામાં કાર-રિક્ષા વચ્ચે અકસ્માત, બે બાળકો સહિત પાંચ લોકોનાં મોત- Gujarat Post

10:50 AM Feb 24, 2023 | gujaratpost

એક જ પરિવારના 5 લોકોનાં મોત

 

રાજ્યમાં થોડા દિવસોથી જીવલેણ અકસ્માતની ઘટનાઓ વધી

વડોદરામાં લગ્ન પ્રસંગમાંથી આવતાં પરિવારને કાળ આંબી ગયો

વડોદરાઃ અટલાદર પાદરા રોડ પર રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત થઇ ગયા છે. પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની અને એક બાળકે સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે બે લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા.અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટ્યાં હતા. અકસ્માતની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતમાં ત્રણ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યાં હતા જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવાર બાદ તેમના મોત નિપજ્યાં હતા.

મૃતકોના નામ અરવિંદ પૂનમ નાયક (ઉં.વ 28), કાજલ અરવિંદ નાયક ( ઉં.વ 25), શિવાની અલ્પેશ નાયક (ઉં.વ 12), ગણેશ અરવિંદ નાયક (ઉં.વ 5), દ્રષ્ટિ અરવિંદ નાયક (ઉં.વ 6) છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. તાજેતરમાં મહિસાગર જિલ્લામાં પાઘડી પ્રસંગે જતો ટેમ્પો પલટી જતાં 8 લોકોનાં મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો