+

બાંગ્લાદેશમાં અત્યાચારથી હિન્દુઓની ધીરજ ખૂટી, લોકો રસ્તા પર ઉતર્યા, વિદેશમાં પણ દેખાવો

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અંગે ઢાકા અને વિદેશમાં વિરોધ પ્રદર્શનો થયા છે. ભારત સરકાર પાડોશી દેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. શનિવારે બાંગ્લાદેશમાં હિન્દુ સમૂદાયના નરસંહાર સામે ઢાક

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અંગે ઢાકા અને વિદેશમાં વિરોધ પ્રદર્શનો થયા છે. ભારત સરકાર પાડોશી દેશની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. શનિવારે બાંગ્લાદેશમાં હિન્દુ સમૂદાયના નરસંહાર સામે ઢાકા અને વિશ્વના અન્ય ભાગોમાં હિન્દુ જૂથોએ વિરોધ કર્યો હતો. રાજકીય અશાંતિથી પ્રભાવિત દેશમાં હિંદુ મંદિરોના વિનાશ સામે પણ વિરોધ પ્રદર્શનો થયા છે. હિંદુઓની હત્યાના વિરોધમાં ઢાકામાં મોટી સંખ્યામાં હિન્દુઓ બહાર આવ્યાં હતા.

દેખાવકારોએ પ્લેકાર્ડ પકડ્યાં હતા જેના પર લખ્યું હતું કે હિન્દુઓને જીવવાનો અધિકાર છે. ચિત્તાગોંગમાં સ્થાનિક સત્તાવાળાઓ અને વિશ્વ સંગઠનો પાસેથી રક્ષણની માંગ સાથે મોટી સંખ્યામાં વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા. તેઓએ તેમના મંદિરોના રક્ષણની પણ માંગ કરી હતી. આ સાથે લંડન અને ફિનલેન્ડ સહિત વિશ્વના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનના અહેવાલો છે.

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે નવી વચગાળાની સરકારને અપીલ કરી હતી. નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. થોડા દિવસો પહેલા વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનોએ શેખ હસીનાના 15 વર્ષના શાસનનો અંત આણ્યો હતો.

ભારત પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખે છે

ભારત સરકારના એક અધિકારીએ કહ્યું કે અમે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. અમે સરકાર સાથે પણ વાત કરી રહ્યાં છીએ અને સંપૂર્ણ સુરક્ષાની માંગ કરી રહ્યાં છીએ. અમે આશા રાખીએ છીએ કે આ અપમાન અને હત્યાકાંડ બંધ થશે અને તમામ મંદિરોને હેરિટેજ તરીકે સાચવવામાં આવશે. લઘુમતીઓનું રક્ષણ એ સરકારની મહત્વની ફરજ છે.

હજારો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યાં

લઘુમતી હિન્દુ સમૂદાયના હજારો સભ્યોએ શનિવારે સતત બીજા દિવસે બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ઉત્તર-પૂર્વીય બંદર શહેર ચિત્તાગોંગમાં વ્યાપક વિરોધ કર્યો હતો. તેમણે દેશભરમાં મંદિરો, તેમના ઘરો અને વ્યવસાયના સ્થળો પર હુમલાઓ વચ્ચે સુરક્ષાની માંગ કરી હતી. તેઓ અલ્પસંખ્યકો પર અત્યાચાર કરનારાઓ સામે કાર્યવાહી ઝડપી કરવા માટે વિશેષ ટ્રિબ્યુનલની સ્થાપના, લઘુમતીઓને 10 ટકા સંસદીય બેઠકો, લઘુમતી સંરક્ષણ અધિનિયમનો અમલ વગેરેની માંગ કરી રહ્યાં છે. હિંદુ વિરોધીઓની રેલીને કારણે મધ્ય ઢાકાના શાહબાગમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ થયો હતો. શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને સોમવારે ભારત ભાગી ગયા બાદ બાંગ્લાદેશી હિન્દુઓએ હિંસા અને લૂંટફાટનો ભોગ બનવું પડ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter