વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત

08:06 PM Mar 26, 2024 | gujaratpost

અમદાવાદઃ ઉનાળું વેકેશનમાં બાળકોને કેટલીક એવી એક્ટિવીટી કરાવવી જોઇએ, જે તેમને ભળતર સિવાય પણ જિંદગીમાં ઉપયોગી થાય, આવું જ કંઇક અમદાવાદની શાશ્વત શાળાએ કર્યું છે. શાશ્વત શાળાએ ઉનાળાના વેકેશનમાં વાલીઓની સૌથી વધુ પ્રવર્તતી ચિંતાઓને દૂર કરવા એક પહેલ કરી છે.

મોટેરા વિસ્તારની સોસાયટીઓમાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને મજા આવી ગઇ હતી. અહીં નાટક, જુદી જુદી ગેમ્સ, શારીરિક વ્યાયામ જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. બાળકો સાથે તેમના ગમતા વિષયો પર ચર્ચાઓ કરાઇ અને તેમના ચહેરા પર સ્મિત આવી જાય તેવી વાતો કરવામાં આવી હતી. જેથી બાળકોની સર્જનાત્મકતામાં સુધારો થાય.

શાશ્વત શાળા દ્વારા દર શનિવારે એનજીઓ સાથે મળીને જુદી જુદી સોસાયટીઓમાં આવા કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં વાલીઓ અને શિક્ષકો પણ બાળકો સાથે કાર્યક્રમમાં ભાગ લઇને તેમના ચહેરા પર સ્મિત લાવી દે છે. બાળકોના સારા ભવિષ્ય માટે ભણતર સિવાય રમત ગમત સહિતની પ્રવૃતિઓ પણ જરૂરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post