+

રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રાની તૈયારીઓ, આ રૂટ રહેશે બંધ - Gujarat Post

આવતીકાલે સ્વ.વિજય રૂપાણીની અંતિમ યાત્રા  રાજકોટઃ અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હતું. જોકે તેમના ડીએનએ હવે મેચ થયા છે અને ર

આવતીકાલે સ્વ.વિજય રૂપાણીની અંતિમ યાત્રા 

રાજકોટઃ અમદાવાદમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હતું. જોકે તેમના ડીએનએ હવે મેચ થયા છે અને રાજકોટમાં અંતિમયાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.

રાજકોટ શહેર તથા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, વેપારીઓ તેમના સગા-સંબધીઓઓ જનતા રામનાથપરા સ્મશાને જનારી અંતિમ યાત્રામાં જોડાશે, રાજકોટ શહેર પોલીસે પણ અંતિમ યાત્રાને લઇને તૈયારીઓ શરૂ કરી છે. રૂટ ઉપરથી અંતિમ યાત્રાના પસાર થવાના એક કલાક પહેલા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યાં છે.

રાજકોટ શહેરમાં પ્રકાશ સોસાયટીમાં "પુજીત" મકાનથી પ્રકાશ સોસાયટી મેઈન રોડ, નાગનાથ મહાદેવ મંદિર, નિર્મળા રોડ, કોટેચા ચોકથી કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડર બ્રિજ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, રાજમંદિર ફાસ્ટ ફુડ ટી-પોઇન્ટ, ડો. દસ્તુર માર્ગથી યાજ્ઞિક રોડ, હરીભાઇ હોલ ચોક, રાડીયા બંગલા ચોક, માલવીયા ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, આર.એમ.સી. ચોક, કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક, સાંગણવા ચોકથી રાજશ્રી સિનેમા, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી-પોઇન્ટ, કોઠારીયા પોલીસ ચોકી, વિરાણી વાડી ચોક, ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા સ્મશાન સુધી તથા ભાવનગર રોડ પર પાંજળાપોળથી રામનાથપરા સ્મશાન સુધી અને ગઢની રાંગ તરફ ભીચરી નાકાથી રામનાથપરા સ્મશાન સુધીના રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ (અંતિમ યાત્રા સાથે જોડાયેલા અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈકાલે વિજય રૂપાણીના પુત્ર તથા તેમના ધર્મપત્ની અંજલિબેન સાથે વીડિયો કોલથી વાત કરી સાંત્વના આપી હતી. તેમણે અંજલિબેનને કહ્યું કે, અમે ખૂબ જ દુઃખી છીએ. બહુ મોટો આઘાત લાગ્યો છે. એક સારા વ્યક્તિનું આ રીતે મૃત્યુ થયું, ધીરજ રાખો. અમે તમારા દુઃખમાં સાથે છીએ. આ દુર્ઘટના કોઈના હાથમાં નહોતી. બાળકોની સંભાળ રાખજો.

facebook twitter