- આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો
- 25થી વધુ લોકોને રેસ્ક્યૂં કરવામાં આવ્યાં
- ઇજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં વહેલી સવારે એક રહેણાંક ફ્લેટમાં આગ લાગી હતી. જેમાં એક બાળકનું મોત થયું હતુ. દાણીલીમડામાં આવેલા ખ્વાજા ફ્લેટના વીજ મીટરમાં વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી. થોડીવારમાં આગ ફ્લેટના બીજા માળ સુધી પહોંચી ગઈ હતી.
ખ્વાજા ફ્લેટમાં ઈલેક્ટ્રીક પેનલ અને એક્ટિવાના કારણે આગ ફેલાઇ હતી. આગની ઘટનામાં એક બાળકનું મોત થયું હતું જ્યારે 8 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયર વિભાગે 27 લોકોને બચાવ્યાં હતા. કેટલાક ઘાયલોને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ફાયર બ્રિગેડના કાફલાએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયા બાદ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો