- રાજકોટના મવડી રોડ પર બની ઘટના
- અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ
- અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાછળ બે યુવતીઓ પણ બેઠી હોવાનો સ્થાનિકોનો દાવો
Rajkot News: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી રસ્તાઓ પર રફતારના રાક્ષસો બેફામ બન્યાં છે. વડોદરા બાદ ગાંધીનગરમાં પણ આવી જ ઘટના બની છે. રાજકોટમાં રવિવારે રાત્રે આવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઝડપથી આવતી કારે રસ્તે જતાં ત્રણ લોકોને કચડી નાંખ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
રાત્રે મવડી મેઇન રોડ ઉપર કાળભૈરવ દાદાના મંદિર પાસે ઋત્વિચ પટોળીયા નામના યુવકે અકસ્માત સર્જયો હતો. આ નબીરાએ પેટ્રોલ પૂરવા જતાં ડેરી ચલાવનારા 69 વર્ષીય પ્રફુલ ઉનડકટ અને બાઇક પર સવાર આધેડ આયુષ ડોબરીયા અને તેમની સાથે 12 વર્ષની દીકરીને અડફેટે લીધા હતાં.તમામને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જેમાં સારવાર દરમિયાન વડીલ પ્રફુલ ઉનડકરનો મોત નિપજ્યું હતું અને અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 12 વર્ષની બાળકીને અકસ્માતના કારણે માથામાં હેમરેજ થયું હતું.
અકસ્માત દરમિયાન તેની ગાડી 100 થી 120ની સ્પીડે દોડી રહી હોવાનું લોકોએ જણાવ્યું છે. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, કારચાલક પોતે નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આ મુદ્દે તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, અકસ્માત સર્જાયો ત્યારે કારમાં પાછળ બે યુવતીઓ પણ બેઠી હતી. પરંતુ, અકસ્માત સર્જાયો એટલે બંને યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++