ન્યૂયોર્કઃ હાર્લેમ સ્થિત એક એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં 27 વર્ષીય ભારતીય પત્રકારનું મોત થયું છે.મૃતકની ઓળખ ફાઝિલ ખાન તરીકે થઈ છે.ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસ ખાનના મિત્રો અને પરિવારના સતત સંપર્કમાં છે.
ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર કહ્યું, ન્યૂયોર્કના હાર્લેમમાં આગની ઘટનામાં 27 વર્ષીય ફાઝિલ ખાનના મૃત્યું વિશે જાણીને દુઃખ થયું. અમે ખાનના પરિવાર અને મિત્રો સાથે સતત સંપર્કમાં છીએ. તેમજ તેમના પાર્થિવ દેહને ભારત પરત લાવવા માટે દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.
ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યાં અનુસાર સેન્ટ નિકોલસ પ્લેસ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રીક વાહનની લિથિયમ બેટરીને કારણે આગ લાગી હતી. આગથી બચવા માટે લોકો દોરડાનો સહારો લઇને નીચે ઉતર્યાં હતા. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યાં હતા.
ફાયર અધિકારીઓના જણાવ્યાં અનુસાર 18 લોકોને બચાવી લેવાયા છે. 12 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.ચાર પીડિતોની હાલત ગંભીર છે. જોન હોજન્સે જણાવ્યું કે આગ એટલી ગંભીર હતી કે રૂમના દરવાજામાંથી જ્વાળાઓ બહાર આવી રહી હતી.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો