લાંચ લીધાના કલાકો બાદ અધિકારીએ બિલ્ડીંગ પરથી પડતું મુક્યું
રાજકોટઃ DGFT ના અધિકારી જવાલાલ બિશ્નોઇએ આત્મહત્યા કરી લીધી છે. ગઇકાલે જ સીબીઆઇએ તેમને 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યાં હતા અને પછી તેમને બિલ્ડીંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ફૂડ એક્સપોર્ટની NOC માટે લીધી હતી લાંચ
ઓફિસની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને કરી આત્મહત્યા
ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવાલાલ બિસ્નોઇ સીબીઆઇની ટ્રેપમાં આવી ગયા હતા.NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માંગી હતી, જેમાં પહેલો હપ્તો 5 લાખ રૂપિયા લેતા જ તેઓ સીબીઆઈના હાથે ઝડપાઇ ગયા હતા. લાંચ લીધાના કલાકો બાદ જ તેમને આત્મહત્યા કરી લીધી છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે જઇને વધુ તપાસ હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો