પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં ચાહકોની ભીડ
પંચમહાભૂતોમાં વિલિન થયા વિજય રૂપાણી
રાજકોટઃ પૂર્વ સીએમ વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત થયું હતું અને આજે રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા છે, તે પહેલા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રૂપાણી પરિવારને મળ્યાં હતા, જ્યાં અંજલીબેન રૂપાણીને સાંત્વના આપી હતી.
Trending :
સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના અનેક નેતાઓએ અંતિમ યાત્રામાં હાજરી આપી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી.
તેમની અંતિમ યાત્રામાં ભાજપના અનેક નેતાઓ, કાર્યકર્તાઓ અને સંબંધીઓ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં રાજકોટના લોકો પણ અંતિમ યાત્રામાં પહોંચ્યાં હતા.