થોડા સમય પહેલા અમદાવાદ બદલી થઇને આવેલા અનેક પીઆઇને પોસ્ટિંગ મળ્યું
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદમાં પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.આર.ઝાલાને સાયબર ક્રાઈમથી ગાયકવાડ હવેલી-1, એસ એમ ચૌધરીને ઈઓડબલ્યુથી રખિયાલ, જી એમ ચૌધરીને વસ્ત્રાપુરમાં મુકવામાં આવ્યાં છે.
આ ઉપરાંત વી એસ વાઘેલાને નિકોલથી કારંજ, એસ એ દેસાઈની ઈઓડબલ્યુથી નિકોલ, એ એ વઢેટાની સી પી રીડરથી વટવા-I, એચ ડી સોઢાને વટવા-IIથી એન ટ્રાફિક, જે પી ચૌધરીને વિશેષ શાખાથી સા.રી.વેસ્ટમાં બદલી કરવામાં આવી છે.
એન બી કલસરિયાની સરદારનગર-IIથી મહિલા વેસ્ટ, એન એ દેસાઈની એ ટ્રાફિકથી નવરંગપુરા, આર આર ગઢવીની આઈયુસીએડબલ્યુથી ઈઓડબલ્યુ, વી આર ડાંગરની વાડથી એસી-એસટી-I તથા પી બી ખાંબલાની શાહપુરથી બોડકદેવ બદલી કરવામાં આવી છે.