+

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, પાક સેનાના હવાઈ હુમલામાં 4 ઈરાની બાળકો સહિત 9 લોકો માર્યાં ગયા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર સૈન્ય હુમલા શરૂ કર્યાં છે. જેમાં 9 લોકો માર્યાં ગયા છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે. આ હુમલા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર સૈન્ય હુમલા શરૂ કર્યાં છે. જેમાં 9 લોકો માર્યાં ગયા છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના છે. આ હુમલા બાદ એવા સમાચાર છે કે પાકિસ્તાને ઈરાનને સંયમ રાખવા કહ્યું છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર પાકિસ્તાને ઈરાનને સંયમ રાખવાનો અનુરોધ કર્યો છે અને બે પડોશીઓ વચ્ચે તણાવ વધે તેવા કોઈ પગલાં ન ભરવાની અપીલ કરી છે.

બુધવારે બલૂચિસ્તાનમાં ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ પાકિસ્તાન નારાજ છે. વિદેશ મંત્રાલયે ગઈકાલે ઈરાનથી તેના રાજદૂતને પાછા બોલાવ્યાં હતા અને અગાઉ નક્કી કરેલી તમામ દ્વિપક્ષીય મુલાકાતો સ્થગિત કરી દીધી હતી.

પાકિસ્તાને અનેક આતંકીઓને માર્યાં હોવાનો દાવો કર્યો

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે સવારે એક નિવેદનમાં કહ્યું આજે વહેલી સવારે પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓ પર સૈન્ય હુમલા કર્યાં છે. ગુપ્ત માહિતીને આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યાં ગયા છે. જો કે,ઈરાનની અર્ધ-સત્તાવાર મેહર ન્યૂઝ એજન્સીએ એક સુરક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું કે સરહદી ગામ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સહિત નવ લોકો માર્યાં ગયા હતા

સમાચાર એજન્સીએ કહ્યું કે ગુરુવારે સવારે 4.50 કલાકે સરવાન શહેરના વિસ્તારમાં અનેક વિસ્ફોટના અવાજો સંભળાયા અને તપાસ બાદ અમને જાણવા મળ્યું કે પાકિસ્તાને ઈરાન સાથેના સરહદી ગામોમાંથી એક પર મિસાઈલ છોડી હતી. તેને નિશાન બનાવવામાં આવ્યું છે. આ સિવાય સરવન શહેર પાસે પણ વિસ્ફોટ થયો હતો, જ્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઈરાન-પાકિસ્તાન સંઘર્ષ ચિંતામાં વધારો કરે છે

ઈરાનના હુમલા અને પાકિસ્તાનના વળતા હુમલાઓએ પશ્ચિમ એશિયાના અસ્થિર પ્રદેશમાં ચિંતા વધારી છે, જે ગાઝા પટ્ટીમાં હમાસ સામે ઈઝરાયેલના યુદ્ધ અને યમનના હુથી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાથી પહેલેથી જ તણાવગ્રસ્ત છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે નિવેદનમાં કહ્યું કે આ હુમલા પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર પ્લેન દ્વારા કરવામાં આવ્યાં હતા. આ દરમિયાન ફાઈટર પ્લેન પાકિસ્તાની એરસ્પેસની અંદર હતા.

માનવરહિત હવાઈ વાહનો દ્વારા જાસૂસી પછી આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી, હુમલા માટે સાત લક્ષ્યોની પસંદગી કરવામાં આવી હતી. હુમલામાં કોઈ ઈરાની નાગરિકો કે સૈન્ય કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યાં નથી. માત્ર આતંકવાદીઓ સામે કાર્યવાહી કરાયાની પાકિસ્તાનની દલીલ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter