અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શ્રી રામ માટે ચાંદીનું છત્ર લઇને રામમંદિરમાં પહોંચ્યાં હતા અને ગર્ભગૃહમાં જઇને તેમને પૂજા શરૂ કરી હતી, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, ફિલ્મી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ હાજર છે, સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, સંઘના સુપ્રીમો મોહન ભાગવત પણ મંદિરમાં હાજર છે.
ભગવાન રામના મંદિરની પૂજામાં હાજરી આપવા અમિતાભ, અભિષેક બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર, મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનિલ અંબાણી, વિવેક ઓબેરોય, સોનુ નિગમ સહિતની અનેક હસ્તીઓ અહીં હાજર છે, અયોધ્યામાં વીવીઆઇપીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.
મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે, ખાસ પંડિતો દ્વારા અહીં પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવી છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો