(Photo: PTI)
એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટમાં આવી છે રહી છે ખામી
કોલકાતાઃ સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ કારણે મંગળવારે કોલકાતા એરપોર્ટ પર વિમાનના નિર્ધારિત સ્ટોપ દરમિયાન મુસાફરોને ઉતરવું પડ્યું હતું. ફ્લાઈટ AI180 સમયસર 0045 વાગ્યે એરપોર્ટ પર પહોંચી હતી, પરંતુ એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ મોડી પડી હતી. બધા મુસાફરોને વિમાનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. વિમાનના કેપ્ટને મુસાફરોને કહ્યું કે ફ્લાઇટ સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI180 શેડ્યૂલ મુજબ સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટથી રવાના થઈ હતી. જોકે, રાત્રે 12:45 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચતા, તેના ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ચાર કલાકથી વધુ સમય પછી, સવારે 5:20 વાગ્યે, કહેવામાં આવ્યું કે બધા મુસાફરોને વિમાનમાંથી ઉતરવું પડશે.
ગઈકાલે, હોંગકોંગથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI315 ને ઉડાન દરમિયાન ટેકનિકલ સમસ્યાની શંકા થતાં તેના મૂળ સ્થાન પર પરત ફરવું પડ્યું હતું. બોઈંગ 787-8 ડ્રીમલાઈનર દ્વારા સંચાલિત આ ફ્લાઇટ AI315 હોંગકોંગથી દિલ્હી માટે રવાના થઈ હતી. ભારતમાં એર ઈન્ડિયા દ્વારા બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રવિવારે, લંડનના હીથ્રો એરપોર્ટથી ચેન્નાઈ (ભારત) જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ BA35 માં ટેકઓફ થયાની થોડી મિનિટો પછી જ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર બપોરે 1:16 વાગ્યે (બ્રિટિશ સમય) 36 મિનિટના વિલંબ સાથે ઉડાન ભરી હતી, પરંતુ લગભગ 15,000 ફૂટની ઊંચાઈએ, પાઇલટ્સને ફ્લૅપ સિસ્ટમમાં સમસ્યાના સંકેતો મળ્યાં. સલામતી પ્રોટોકોલ મુજબ, વિમાને ડોવર ખાડી પર હોલ્ડિંગ પેટર્નમાં ઘણા રાઉન્ડ કર્યા. આ સમય દરમિયાન, વિમાન લગભગ 30 મિનિટ સુધી 12,000 ફૂટ પર રહ્યું અને સુરક્ષિત ઉતરાણ માટે, વધારાનું બળતણ હવામાં જ છોડવામાં આવ્યું, જેથી વજન ઘટાડી શકાય. કુલ લગભગ એક કલાક અને 45 મિનિટ પછી, વિમાન હીથ્રોના રનવે પર સુરક્ષિત રીતે ઉતર્યું. બધા મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યાં.
12 જૂને અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ કર્યાના થોડા જ સેકન્ડ પછી બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ સભ્યો અને બે પાઈલટનો સમાવેશ થાય છે. બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ સિવાય બધાના મોત થયા હતા.
STORY | Air India flight from San Francisco to Mumbai suffers technical snag; passengers deplaned in Kolkata
— Press Trust of India (@PTI_News) June 17, 2025
READ: https://t.co/nWMjIm4ZgE pic.twitter.com/1T4OHDRE6s
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/